Posts

રિસોર્ટ પોલિટિક્સ: એક્શન, ડ્રામા અને રોમાંચ...'વો 17 દિન' ( બ્રજેશ રાજપૂત )

Image
કોંગ્રેસના એક નાખુશ નેતાને એક બાજૂ ભાજપ ખેંચી રહ્યુ હતું, તો બીજી તરફ કોંગ્રેસ નેતાઓ...એ પણ એવી રીતે કે, રીતસરના હાથ ખેંચતા હતા. ત્યારે બીજી બાજૂ એક નેતી પણ રિસોર્ટના રૂમમાં બંધ હતી. તેમની સાથે એકલા નહીં પણ એક કોંગ્રેસી નેતા પણ હતા, જે તેમણે ભોપાલ આવવા વિનવી રહ્યા હતા. જો કે, બહારથી ભાજપના નેતા પણ દરવાજો ખટખટાવી રહ્યા હતા. આ નેતીની દિકરી પણ તેમની સાથે જ ત્યાં રૂમમાં હતી. જ્યારે લાગ્યુ કે દરવાજો તૂટી જશે તો તે ખૂબ જ ડરી ગઈ. આ પ્રકારનો સનસનીખેજ ખુલાસો થયો છે. 'વો 17 દિન' નામના પુસ્તકમાં. ભોપાલના પત્રકાર બ્રજેશ રાજપૂતે આ પુસ્તક લખ્યુ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવાથી લઈને શિવરાજ સિંહની સરકાર બનવાની સુધીની સફર આ પુસ્તકમાં આપી છે. તે 17 દિવસ રાજકીય રીતે ખૂબ જ નાટકીય અને રોમાંચક રહ્યા હતા. આ પુસ્તક આમ તો ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે, કેટલાય દિવસ માટે મધ્ય પ્રદેશનું રાજકીય નાટક હેડલાઈન્સ બનીને નજરમાંથી હટતું નહોતું. રિસોર્ટ પોલીટિક્સમાં શું શું ખેલ થાય છે. કેવી રીતે ધારાસભ્યોને પાર્ટીઓ મેનેજ કરે છે. ભાજપનું મેનેઝમેન્ટ કેટલુ ધાકડવાળુ છે. કોંગ્રેસ ક્યાં ચુકી જાય છે. આવા ...

એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....

Image
ઈતિહાસમાં અનેક એવી ઘટના ઘટી છે જે આપણા દરેક માટે ચોંકાવનારી હોય છે. ઈતિહાસમાં પણ એવી અનેક આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી છે. વાસ્તવમાં જોઈએ તો, આ ઘટના ઉત્તરી અમેરિકાના એક દેશમાં ઘટી છે. જ્યાં ફક્ત એક કલાકમાં કંઈક એવુ થયુ કે, ત્રણ લોકો રાષ્ટ્રપતિ બની ગયા હતા. આ એક આશ્ચર્યજનક ઘટના છે, પણ હકીકતમાં તે સાચી છે. હકીકતમાં આ દેશ દુનિયાનો 14મો સૌથી મોટો દેશ માનવામાં આવે છે. આ સાથે તેને દુનિયાના સૌથી સુંદર દેશોમાં પણ તેની ગણના થાય છે. તો આવો જાણીએ એવો તે ક્યો દેશ છે. જ્યાં ઈતિહાસમાં માત્ર એક જ દિવસ અને તે પણ એક કલાકમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ બદલાયા હોય. આપને જણાવી દઈએ કે, આ દેશનું નામ મેક્સિકો છે. આ ઘટના આજથી 19 વર્ષ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી. મૈડેરો ત્યારે આ દેશના એક કલાકમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. પેડ્રો લસ્કુરિન પોતાના રાષ્ટ્રપતિ પદના એક કલાકની અંદર રાષ્ટ્રપતિ બની ગયા હતા. પણ તેમને મીનિટોમાં જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. જો કે, ત્યાર બાદ વિક્ટોરિયાનો હર્ટા રાષ્ટ્રપતિ બન્યા હતા. પેડ્રો લસ્કકુરિન ફક્ત 26 મીનિટ માટે ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ ઘટના વિશ્વ રેકોર્ડ બની ગઈ ...

બકરીયુંઓના અસલી પિતા કોણ...

Image
આપણે એવુ તો ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે, બાળકોનું ઠેકાણુ શોધવા માટે અથવા તો તેની સાચ્ચી ઓળખાણ માટે કે આ સંતાન કોનું છે, તેના માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. સંબંધને સાચો ઠેરવવા માટે ઘણી વખત આવા કેસ કોર્ટમાં પણ જતા હોય છે. પણ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક મહિલાએ પોતાની બકરીના પિતાને જાણવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મહિલાએ બકરીના અસલી પિતા જાણવા અને તેના માટે યોગ્ય વળતરની માગ સાથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. ક્રિસ હેડસ્ટ્રોમે ગત મહિને પોતાની પાડોશી હીદર ડેન પર કેસ દાખલ કર્યો છે. તેણે આ સાથે માગ રાખી હતી કે, તેને દ્વારા ખરીદવામાં આવેલી બકરીઓનું ડીએનએ ટેસ્ટ થવો જોઈએ. ગત ડિસેમ્બર મહિનામાં ક્રિસે 900 ડોલરની પાંચ બકરીયુ ખરીદી હતી. તેણે પોતાની પાડોસી ડેનર સાથે મળીને નાઈઝિરીયાઈ પુડકા જાતની બકરી ખરીદી હતી. આ મહિલા દ્વારા કોર્ટામં બેલા, ગિગી, રોઝી, જેલ્ડા અને માર્ગોટ નામની બકરીયુને ખરીદવા માગતી હતી. બકરીયુનું રજીસ્ટ્રેશન કરતી વખતે તેની નસલ અને વિવરણનો ખુલાસો કરવા પણ માગતી હતી. આ બકરીયુના પિતૃત્વને જાણવા માટે ડીએનએ ટેસ્ટમાં બકરીના પિતાના 40 વાળની જરૂર પડે છે. ત્યારે આ બાબતને લઈ ક્...

ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!

Image
જે લોકો પોતાના જીવનમાં એકાંતને નથી જાણતા, વાસ્તવમાં તે લોકો એકાંતને શોધી પણ શકતા નથી, એટલા માટે તેઓ એકલાપણાની શોધમાં ગોથા ખાતા હોય છે. જો કે, આવા મનને એકલાપણુ કરડી ખાવા દોડતુ હોય છે. એકાંત અને એકલાપણાનો આમ તો કોઈ સીધો સંબંધ નથી.આ આપણો જ બનાવેલો તર્કવિહીન અને વાહિયાત વહેમ છે. આપણે મોટે ભાગે એકાંત અને એકલાપણાનું અંતર સમજી શકતા નથી. એકાંતનો અર્થ થાય છે કે, ખુદને પોતાની જાતને આ દુનિયાથી અમુક સમય માટે અલગ કરી દેવું. બસ આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાની જાત માટે થોડો સમય કાઢી લેવો. ઐતિહાસિક પ્રસંગો પણ યાદ કરો..જ્યારે રાજા મહારાજા, વિદ્રાનો, ઋષિ મુનિઓ એકાંતમાં જતા રહેતા હતા. ગહન ચિંતન અને મનન માટે. કોઈ વિચારને લઈ એના માટે પૂર્ણતાથી વિચારવા માટે. તેથી તેઓ પોતાની જાતને થોડા સમય માટે એકાંતમાં લઈ જાય છે. તેઓ આ રીતે કરીને પોતાના મનને એવી જગ્યાએ લઈ જતાં હોય છે, જ્યાં અમુક અઘરી લાગતી વસ્તુ , વિચાર કે નિર્ણય લેવો ઘણો સહેલો થઈ જાય છે. દુનિયા વિશે આપણો મત નક્કી કરવા માટે દુનિયાથી અલગ થઈ જવુ વધારે સારૂ. એટલા માટે કોઈને આ બાબતે કંઈ કહેવાની પણ જરૂર નથી કે હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું, પણ હાં સાચે જ ...
Image
એક 'અટલ' પ્રેમ કથા:   ઇશ્ક, ઇશ્ક હી રહા ઉસે રિસ્તો કાં ઈલ્જામ ના મિલા...                                                                વર્ષ 2014 માં મે મહિનામાં સમગ્ર દેશ સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત હતો. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગુલ હતાં. તે દરમ્યાન દિલ્હીમાં અગ્નિ સંસ્કાર થયો. આ અવસર પર લુટિયન્સની દિલ્હીમાં મહત્ત્વતા ધરાવનારા ઘણાં મોટા નામો તેમાં જોડાયા હતાં. તે સમયનાં બીજેપીના પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલુકૃષ્ણ આડવાણી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદ ઉપરાંત કોંગ્રેસ નેતા જયોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. આ અગ્નિ સંસ્કાર હતો 86 વર્ષનાં રાજકુમારી કૌલનો જે પોતે મિસિઝ કૌલ કહીને બોલાવતા હતાં, જ્યારે બીજેપીના તમામ નેતાઓ તેમને '...

શ્રી બ્લોગાય નમઃ

Image
આજે બ્લોગ માટેનો પ્લોટ ખરીદ્યો છે. આચારસંહિતાના કારણે વાસ્તુપૂજન મુલતવી રાખ્યું છે.  સૌજન્ય : ગૂગલપીર