એક 'અટલ' પ્રેમ કથા: ઇશ્ક, ઇશ્ક હી રહા ઉસે રિસ્તો કાં ઈલ્જામ ના મિલા... વર્ષ 2014 માં મે મહિનામાં સમગ્ર દેશ સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત હતો. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગુલ હતાં. તે દરમ્યાન દિલ્હીમાં અગ્નિ સંસ્કાર થયો. આ અવસર પર લુટિયન્સની દિલ્હીમાં મહત્ત્વતા ધરાવનારા ઘણાં મોટા નામો તેમાં જોડાયા હતાં. તે સમયનાં બીજેપીના પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલુકૃષ્ણ આડવાણી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદ ઉપરાંત કોંગ્રેસ નેતા જયોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. આ અગ્નિ સંસ્કાર હતો 86 વર્ષનાં રાજકુમારી કૌલનો જે પોતે મિસિઝ કૌલ કહીને બોલાવતા હતાં, જ્યારે બીજેપીના તમામ નેતાઓ તેમને '...