ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!
જે લોકો પોતાના જીવનમાં એકાંતને નથી જાણતા, વાસ્તવમાં તે લોકો એકાંતને શોધી પણ શકતા નથી, એટલા માટે તેઓ એકલાપણાની શોધમાં ગોથા ખાતા હોય છે. જો કે, આવા મનને એકલાપણુ કરડી ખાવા દોડતુ હોય છે. એકાંત અને એકલાપણાનો આમ તો કોઈ સીધો સંબંધ નથી.આ આપણો જ બનાવેલો તર્કવિહીન અને વાહિયાત વહેમ છે. આપણે મોટે ભાગે એકાંત અને એકલાપણાનું અંતર સમજી શકતા નથી. એકાંતનો અર્થ થાય છે કે, ખુદને પોતાની જાતને આ દુનિયાથી અમુક સમય માટે અલગ કરી દેવું. બસ આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાની જાત માટે થોડો સમય કાઢી લેવો. ઐતિહાસિક પ્રસંગો પણ યાદ કરો..જ્યારે રાજા મહારાજા, વિદ્રાનો, ઋષિ મુનિઓ એકાંતમાં જતા રહેતા હતા. ગહન ચિંતન અને મનન માટે. કોઈ વિચારને લઈ એના માટે પૂર્ણતાથી વિચારવા માટે. તેથી તેઓ પોતાની જાતને થોડા સમય માટે એકાંતમાં લઈ જાય છે. તેઓ આ રીતે કરીને પોતાના મનને એવી જગ્યાએ લઈ જતાં હોય છે, જ્યાં અમુક અઘરી લાગતી વસ્તુ , વિચાર કે નિર્ણય લેવો ઘણો સહેલો થઈ જાય છે. દુનિયા વિશે આપણો મત નક્કી કરવા માટે દુનિયાથી અલગ થઈ જવુ વધારે સારૂ. એટલા માટે કોઈને આ બાબતે કંઈ કહેવાની પણ જરૂર નથી કે હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું, પણ હાં સાચે જ ...

Comments
Post a Comment